मैं ना होता तो क्या होता...?*

*मैं ना होता तो क्या होता...?*

*हनुमानजी ने प्रभु श्रीराम से कहा कि मैंने लंका जाकर विभीषण का घर नहीं देखा था, तब तक मुझे लगता था कि लंका में भला संत कहां मिलेंगे ? प्रभू, मैं तो समझता था कि संत सिर्फ भारत में ही होते हैं, लेकिन जब मैं लंका में सीताजी को नही ढूंढ सका और जब विभीषण ने उपाय बताया तो मैंने सोचा कि जिन्हें मैं प्रयत्न करके नहीं ढूंढ सका, उनका पता तो इन लंका वाले संत ने ही बता दिया, शायद प्रभु ने यही दिखाने के लिए भेजा था कि इस दृश्य को भी देख लो !*

*अशोक वाटिका में जिस समय रावण क्रोध में भरकर तलवार लेकर माँ को मारने के लिए दौड़ा, तब मुझे लगा कि इसकी तलवार छीन कर इसका सिर काट लेना चाहिये, किन्तु अगले ही क्षण मैंने देखा कि मंदोदरी ने रावण का हाथ पकड़ लिया, यह देखकर मैं गदगद् हो गया ! ओह प्रभू आपने कैसी शिक्षा दी, यदि मैं कूद पड़ता तो मुझे भ्रम हो जाता कि यदि मैं न होता तो क्या होता ?*

*बहुधा व्यक्ति को ऐसा ही भ्रम हो जाता है, मुझे भी लगता कि यदि मैं न होता तो सीताजी को कौन बचाता ? पर आपने उन्हें बचाया ही नही, बल्कि बचाने का काम रावण की पत्नी को ही सौंप दिया, जिसको इस बात की प्रसन्नता होनी चाहिए कि सीता मरे तो मेरा भय दूर हो, तब मैं समझ गया कि आप जिससे जो कार्य लेना चाहते हैं, वह उसी से लेते हैं, किसी का कोई महत्व नहीं है !*

*आगे चलकर जब त्रिजटा ने कहा कि लंका में बंदर आया हुआ है और वह लंका जलायेगा तो मैं बड़ी चिंता में पड़ गया कि प्रभु ने तो लंका जलाने के लिए कहा ही नहीं है और त्रिजटा कह रही है तो मैं क्या करुं ? पर जब रावण के सैनिक तलवार लेकर मुझे मारने के लिये दौड़े तो मैंने अपने को बचाने की तनिक भी चेष्टा नहीं की, और जब विभीषण ने आकर कहा कि दूत को मारना अनीति है, तो मैं समझ गया कि मुझे बचाने के लिये प्रभु ने यह उपाय कर दिया !*

*आश्चर्य की पराकाष्ठा तो तब हुई, जब रावण ने कहा कि बंदर को मारा नहीं जायेगा पर पूंछ मे कपड़ा लपेट कर घी डालकर आग लगाई जाये तो मैं गदगद् हो गया कि उस लंका वाली संत त्रिजटा की ही बात सच थी, वरना *लंका को जलाने के लिए मैं कहां से घी, तेल, कपड़ा लाता और कहां आग ढूंढता, पर वह प्रबन्ध भी आपने रावण से करा दिया, जब आप रावण से भी अपना काम करा लेते हैं तो मुझसे करा लेने में आश्चर्य की क्या बात है !*

*इसलिये याद रखें, कि संसार मे जो कुछ भी हो रहा है वह सब ईश्वरीय विधान है, हम और आप तो केवल निमित्त मात्र हैं, इसीलिये कभी भी ये भ्रम न पालें कि मैं न होता तो क्या होता...?*
 

कोई फर्क नही पड़ता*

Motivational talk....Read carefully

*महाभारत में कर्ण ने श्री कृष्ण से पूछा "मेरी माँ ने मुझे जन्मते ही त्याग दिया, क्या ये मेरा अपराध था कि मेरा जन्म एक अवैध बच्चे के रूप में हुआ?*

दोर्णाचार्य ने मुझे शिक्षा देने से मना कर दिया क्योंकि वो मुझे क्षत्रीय नही मानते थे, क्या ये मेरा कसूर था?

परशुराम जी ने मुझे शिक्षा दी साथ ये शाप भी दिया कि मैं अपनी विद्या भूल जाऊंगा क्योंकि वो मुझे क्षत्रीय समझते थे।

भूलवश एक गौ मेरे तीर के रास्ते मे आकर मर गयी और मुझे गौ वध का शाप मिला?

द्रौपदी के स्वयंवर में मुझे अपमानित किया गया, क्योंकि मुझे किसी राजघराने का कुलीन व्यक्ति नही समझा गया।

यहां तक कि मेरी माता कुंती ने भी मुझे अपना पुत्र होने का सच अपने दूसरे पुत्रों की रक्षा के लिए स्वीकारा।

मुझे जो कुछ मिला दुर्योधन की दया स्वरूप मिला!

*तो क्या ये गलत है कि मैं दुर्योधन के प्रति अपनी वफादारी रखता हूँ..??*

*श्री कृष्ण मंद मंद मुस्कुराते हुए बोले-*
"कर्ण, मेरा जन्म जेल में हुआ था। मेरे पैदा होने से पहले मेरी मृत्यु मेरा इंतज़ार कर रही थी। जिस रात मेरा जन्म हुआ उसी रात मुझे मेरे माता-पिता से अलग होना पड़ा। तुम्हारा बचपन रथों की धमक, घोड़ों की हिनहिनाहट और तीर कमानों के साये में गुज़रा।
मैने गायों को चराया और गोबर को उठाया।
जब मैं चल भी नही पाता था तो मेरे ऊपर प्राणघातक हमले हुए।
कोई सेना नही, कोई शिक्षा नही, कोई गुरुकुल नही, कोई महल नही, मेरे मामा ने मुझे अपना सबसे बड़ा शत्रु समझा।
जब तुम सब अपनी वीरता के लिए अपने गुरु व समाज से प्रशंसा पाते थे उस समय मेरे पास शिक्षा भी नही थी। बड़े होने पर मुझे ऋषि सांदीपनि के आश्रम में जाने का अवसर मिला।

तुम्हे अपनी पसंद की लड़की से विवाह का अवसर मिला मुझे तो वो भी नही मिली जो मेरी आत्मा में बसती थी।
मुझे बहुत से विवाह राजनैतिक कारणों से या उन स्त्रियों से करने पड़े जिन्हें मैंने राक्षसों से छुड़ाया था!
जरासंध के प्रकोप के कारण मुझे अपने परिवार को यमुना से ले जाकर सुदूर प्रान्त मे समुद्र के किनारे बसाना पड़ा। दुनिया ने मुझे कायर कहा।

यदि दुर्योधन युद्ध जीत जाता तो विजय का श्रेय तुम्हे भी मिलता, लेकिन धर्मराज के युद्ध जीतने का श्रेय अर्जुन को मिला! मुझे कौरवों ने अपनी हार का उत्तरदायी समझ।

*हे कर्ण!* किसी का भी जीवन चुनोतियों से रहित नही है। सबके जीवन मे सब कुछ ठीक नही होता। कुछ कमियां अगर दुर्योधन में थी तो कुछ युधिष्टर में भी थीं।
सत्य क्या है और उचित क्या है? ये हम अपनी आत्मा की आवाज़ से स्वयं निर्धारित करते हैं!

इस बात से *कोई फर्क नही पड़ता* कितनी बार हमारे साथ अन्याय होता है,

इस बात से *कोई फर्क नही पड़ता* कितनी बार हमारा अपमान होता है,

इस बात से *कोई फर्क नही पड़ता* कितनी बार हमारे अधिकारों का हनन होता है।

*फ़र्क़ सिर्फ इस बात से पड़ता है कि हम उन सबका सामना किस प्रकार करते हैं..!!*
🙏

પરિસ્થીતી બદલાઈ શકે છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક...

તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ?
શું તેનું બચ્ચુ બચી શકશે ?

કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

Be Positive

ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!

સુખ એટલે શું..!????

S..U..K..H.
સુખ એટલે શું..!????

- ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખ....

- તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ..

- કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપેલ સંસ્કાર ના બીજ એટલે સુખ....

- રોજ દેવસ્થાને દીવાની જ્યોતમાં પ્રગટતું પ્રાર્થનાનું અજવાળું એટલે સુખ..

- ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખ....

કાકા-દાદાના સંતાનો અને દેરાણી-જેઠાણી વચ્ચેના આત્મીય સંબંધો પ્રાપ્ત થઇ જવા એટલે સુખ....

- રોજ જમતી વખતે " આ ભગવાનની ક્રુપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખ....

- " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખ..

- ભર ઉનાળે બપોરે ઘરે આવેલ ટપાલીને અપાતા શરબતના ગ્લાસમાં રહેલી ઠંડક એટલે સુખ..

- મનગમતા લેખકના પુસ્તકને વાંચવામાં થયેલુ આખી રાતનું જાગરણ એટલે સુખ ..

- દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ...

સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખ....

- મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ.

અંતે.....

પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ  સુખ....

એડ્રેસ છે..?"

રાત્રી ના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે...આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો,

પાર્કીંગ મા થી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો...ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું..પ્રાર્થના કરુ...મને થોડી શાંતિ મળે..
એ માણસ મંદિર મા ગયો..જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો,ઊદાસ ચહેરો... આંખો મા કરુણતા..એને જોઈ ને આ માણસ ને દયા આવી..પૂછ્યું"કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?"
પેલા એ વાત કરી.."મારી પત્ની હોસ્પિટલ મા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે...અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી"

આ શ્રીમંત માણસે ખીસ્સામા થી રુપીયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા...અને પેલા ના ચહેરા પર ચમક આવી..
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું..."હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો...એડ્રેસ પણ છે..રુબરુ આવી ને મળજો...સંકોચ ન રાખશો."
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું...અને કહ્યું "મારી પાસે એડ્રેસ છે...આ એડ્રેસ ની જરૂર નથી ભાઈ"
અચંબો પામી ને શ્રીમંત માણસે કહ્યું.."કોનું એડ્રેસ છે..?"
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો...

"જેણે રાત ના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી...

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?

તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો...

બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે.....પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું,
(1) પત્નિ

(2) દિકરી

(3) મા

(4) ભાભી

(5) જેઠાણી કે પછી દેરાણી...

આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.

પણ... ખાલી તારા વહેવાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતા ના રૂપિયા ક્યાક હું વધારે નથી ખચઁ કરતી ને તેમજ ત્યાં તારી સાસરી માં જઇ તારે તારૂ અને આખા ઘર નું વિચારવાનું કે રૂપિયા 5 નું પણ લેતા એમ વિચારજે કે હું મારા ઘર ના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે? બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા

એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે...

પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.

તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે,

તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે

(1) પિયર ઘેલી ના થતી.
(2) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી.
(3) કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.

તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે .....હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં...

🌹👍👍

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી...

🙏🙏

..

જીંદગી તને થેન્ક યુ . . .​

બીજું જોઈએ શું . . .​

​જીંદગી તને થેન્ક યુ . . .​


એક કપ કોફી , , ,
મૂશળધાર વરસાદ , , ,
અને
એક ગમતો મિત્ર . . .

​​બીજું જોઈએ શું . . .???​​

એક લોંગ ડ્રાઈવ , , ,
એક ગમતો રસ્તો , , ,
અને
એક ગમતું ગીત  . . .

​​બીજું જોઈએ શું . . .???​​

કોઈ નિરાંતની સાંજે , , ,
એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , , ,
દુનિયાને ભૂલી જઈ શકું તો . . .

​​જિંદગી તને થેન્ક યુ . . . !!!​​

એક મનગમતી સાંજે , , , આથમતા સૂરજની સામે ઉભા રહીને , , ,
મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો  . . .

​​જિંદગી તને થેન્ક યુ. . . !!!​​

એક ગમતો સાથ , , ,
એક મનગમતો સ્વાદ , , ,
અને એક સ્વાદિષ્ટ પકવાન . . . 

​​બીજું જોઈએ શું . . . ???​​

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , , , એક ગમતી પ્રાર્થના , , ,
અને
મંદિરમાં એક ભગવાન . . .

​​બીજું જોઈએ શું . . .???​​

ગમતા લોકોની હાજરીમાં , , , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો  . . .

​​જિંદગી તને થેન્ક યુ . . . !!!​​

જેને પ્રેમ કરું છું , , ,
એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . .

​​જિંદગી તને થેન્ક યુ . . . !!!​​

એક ગમતું થિયેટર , , , હાથમાં પોપકોર્ન  , , ,
અને
સામે ગમતો સુપર સ્ટાર . . .

​​બીજું જોઈએ શું . . . ???​​

કેટલાક ગમતા લોકો , , , હાથમાં મીઠાઈ  , , ,
અને
હૈયામાં ગમતો તહેવાર . . .

​​બીજું જોઈએ શું . . . ???​​

તેં આપવા જેવું બધું જ આપ્યું છે  , , ,
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે  , , ,
ક્યારેય આભાર નથી માન્યો તારો . . .

દૂર સુધી દોડ્યા પછી , , , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું  તો  . . .

​​જિંદગી તને થેન્ક યુ . . . !!!​​

જીવનમાં અશાંતિનું કારણ ...,

ગુગલના સી.ઈ.ઓ. સુંદર પીચાઈ એ કહેલ કોકરોચની વાર્તા વાંચવા જેવી છે ...!

સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ, જોઈન કર્યું અને ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !!!

ગુગલના CEO, સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદો)ની વાર્તા ...!

તેમણે કહેલ વાર્તા ...! ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરૂ છું ...!

એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું ...,
એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ...,
તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી ...,
ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ ...,
પણ,
એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું ...,
હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી ...,
એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું ...;

વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું,
અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ...!

હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો.
ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે ...,
શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ?
અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો ?
એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર્યું ...!

મહિલાઓની અશાંતિનું કારણ ...,
કોકરોચ નહીં, પણ કોકરોચથી બચવાની અક્ષમતા જ એમની અશાંતિનું સાચું કારણ હતુ ...!

મેં અનુભવ્યું કે,
મારા પિતાજી કે ... મારા બોસે આપેલ ઠપકો,
મારી અશાંતિનું કારણ ન હતું ...!
પણ, એ ઠપકાને સમજવાની અને,
એ સમસ્યાનો રસ્તો કાઢવાનું ...,
“સામર્થ્ય મારામાં નહીં હોવું” એ જ મારી અશાંતિનું કારણ હતું ...!

મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં,
પરંતુ તે ટ્રાફિક જામની સ્થિતીને હેન્ડલ કરવાની મારી અસમર્થતા જ મારી અશાંતિનું કારણ છે.

મિત્રો,
આપણાં જીવનમાં અશાંતિનું કારણ ...,
સમસ્યાઓ નહીં, પણ એ સમસ્યાઓ પ્રત્યે આપણો વ્યવહાર હોય છે ...!
💐👍😊

મનને શાંત કરવુ જ 'પડકાર' છે

- ( શાંત મન )-

એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.

જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
એટલે -
તે માણસે તેની ઘણી શોધ કરી...
પણ,
તે ઘડીયાળ ન મળી !

તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
અને,
તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...

તેથી,
તે માણસે વિચાર કર્યો કે -
આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...

તેણે છોકરાઓને કહ્યું કે -
જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
તેને તે સરસ મજાનું ઇનામ દેશે.

આ સાંભળીને -
છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
અને,
અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...

પરંતુ,
કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !

ત્યારે,
એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
પણ,
બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !

અમીર માણસે તેની વાત માની લીધી.

તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...

થોડી વાર બાદ -
તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.

તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

તેણે છોકરાથી પૂછ્યું -
"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?

જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

છોકરાએ જવાબ આપ્યો -
"મેં કાંઈ કર્યું નથી...

બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
અને,
ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...

કેમ કે -
'વાડા' માં શાંતિ હતી...

એટલે -
મેં તેનો અવાજ સાંભળી લીધો...
અને,
તે દિશામાં જોયું !

સારાંશ -
એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
એક 'થાકેલા' મગજની તુલનામાં !

માટે -
દિવસમાં થોડા સમયના માટે...
આંખો બંધ કરીને,
શાંતિથી બેસજો !

પોતાના મસ્તકને શાંત થવા દેજો...
પછી,
જૂઓ !
તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!

કેમકે -
દરેક આત્મા -
હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
બસ,
મનને શાંત કરવુ જ 'પડકાર' છે.

આ પડકાર -
થોડું અઘરું જરૂર છે...
પણ,
'અસંભવ' જરાય નથી !!

|| શુભામસ્તુ || 🌹👏

માણસની સોબત

*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

~ *મૌલિક જગદીશ ત્રિવેદી*