હે પરમકૃપાળુ પરમેશ્વર...
             સ્મરણ તારૂં કરતાં કરતાં 
         સવારની શરૂઆત કરાવી દેજે,
                 
         તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં 
         પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
                 
           ડગ મારા મંદિર તરફ વળે 
        એવો ઇશારો મને તું કરી દેજે.
                 
         મુજ નયનમાં સુખ શાંતિ નું 
      એક જ મંદિર તું ખડુ કરી દેજે.
                 
         રીઝવી ના શકું ભલે જગને 
     મીઠી વાણીની મીલકત મને દેજે 
                 
      નથી જોઇતું મારે અણ હક્કનું 
    વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
                 
       ભટકતું મન સ્થિર થાય તારામાં 
     તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
                 
        અંત સમયે તારામાં જ રહું 
            સગપણ તું મને દેજે.
      
   કરે જગત યાદ એવું જીવન મને દેજે.
 
