આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે

👌એક નાનકડી વાર્તા :

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”

બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.

બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”

ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”

ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.👏

🌹🌻🌺🌷🌹🌻🌺🌷🌹..🙏🏻
Do this in your life and
      Get " Swarg "

सोच अच्छी रखेंगें तो..

दो भाई थे ।
आपस में बहुत प्यार था।
खेत अलग अलग थे आजु बाजू।
:
बड़ा भाई शादीशुदा था ।

छोटा अकेला ।👭
:
एक बार खेती बहुत अच्छी हुई अनाज
बहुत हुआ ।🌻🌹👌
:
खेत में काम करते करते बड़े भाई ने
बगल के खेत में छोटे भाई को
खेत देखने का कहकर खाना खाने चला गया।♑👈🤓
:
उसके जाते ही छोटा भाई सोचने लगा । खेती
तो अच्छी हुई इस बार अनाज भी बहुत
हुआ। मैं तो अकेला हूँ, बड़े भाई की तो
गृहस्थी है। मेरे लिए तो ये अनाज
जरुरत से ज्यादा है
। भैया के साथ तो भाभी बच्चे है ।
उन्हें जरुरत ज्यादा है।💃🏃🏽
:
ऐसा विचारकर वह 10 बोरे अनाज
बड़े भाई के अनाज में डाल देता
है। बड़ा भाई भोजन करके आता है ।
:
उसके आते ही छोटा भाई भोजन
के लिए चला जाता है।💃🏃🏽
:
भाई के जाते ही वह विचारता है ।
मेरा गृहस्थ जीवन तो अच्छे से चल रहा है...🙏🏽
:
भाई को तो अभी गृहस्थी जमाना है... उसे
अभी जिम्मेदारिया सम्हालना है...
मै इतने अनाज का
क्या करूँगा...🙏🏽
:
ऐसा विचारकर उसने 10 बोरे अनाज
छोटे भाई के खेत में डाल दिया...।
:
दोनों भाईयों के मन में हर्ष था...🙏🏽
अनाज उतना का उतना ही था और
हर्ष स्नेह वात्सल्य बढ़ा हुआ था...।
:
सोच अच्छी रखेंगें तो प्रेम🙏🏽
अपने आप बढेगा ...........
अगर ऐसा प्रेम भाई भाई में हुआ तो दुनिया की कोई भी ताकत आपके परिवार को तोड़ नही सकती...
अगर ये लेख अच्छा लगा हो तो सिर्फ अपने तक ही मत रखिये इसे आगे शेयर करे♑👈👌👌👌👌
🤓💃🤓💃🤓💃🤓💃🤓

નેવું વરસનાં કાકા કાકી વચ્ચેનો સંવાદ .

નેવું વરસનાં  કાકા કાકી વચ્ચેનો સંવાદ .

કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?

કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.

કાકા: ના, ના, યાદ રહેશે.

કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?

કાકા: ચોક્કસ.

કાકી: લખી લો ને. ભુલી જશો.

કાકા: અરે, એમ તે હોય?

કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.

કાકા: અરે! લઇ આવીશ..

અડધો કલાક પછી, કાકા  માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.

કાકી: જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?...😟😝😃

HAPPY golden years😜😜😜

May your enemies work

What a nice story...
An American man walked into a restaurant in London. As soon as he entered, he  noticed an Indian sitting in the corner.
So he walked over to the counter, removed his wallet and shouted, "Waiter! I am buying food for everyone in this restaurant, except that Indian guy over there!"
So the waiter collected the money from the man and began serving free food to everyone in the restaurant, except the Indian.
However,insteadof becoming upset, the Indian simply looked up at the American and
shouted, "Thank you!" That infuriated the man. So once again, the American took out his wallet and shouted, "Waiter! This time I am buying bottles of wine and additional food for everyone in this bar, except for that Indian  sitting in the corner over there!" So the waiter collected the money from the man and began serving free food and wine to
everyone in the bar except Indian.
When the waiter finished serving the food and drinks, once again, instead of becoming angry, the Indian simply smiled at the American man and shouted, "Thank you!"
That made the American man furious. So he leaned over on the counter and said to the
waiter, "What is wrong with that Indian man? I have bought food and drinks for everyone in this bar except him, but instead of becoming angry, he just sits there and smiles at me and shouts 'Thank you.' Is he
mad???"
The waiter smiled at the American and said, "No, he is not mad. He is the owner of this
restaurant.
May your enemies work unknowingly in your favour.

💬 Stay away from Anger..It hurts ..Only You!
💬 If you are right then there is no need to get angry,
💬 And if you are wrong then you don't have any right to get angry.
💬 Patience with family is love,
💬 Patience with others is respect.
💬 Patience with self is confidence and Patience with GOD is faith.
💬 Never Think Hard about thePAST, It brings Tears...
💬 Don't think more about the FUTURE, It brings Fear...
💬 Live this Moment with a Smile,It brings Cheer.
💬Every test in our life makes us bitter or better,
💬 Every problem comes to make us or break us,
💬 The choice is ours whether we become victims or victorious.
💬 Beautiful things are not always good but good things are always beautiful
💬 Do you know why God created gaps between fingers?
💬 So that someone who is special to you comes and fills those gaps by holding your hand forever.
💬 Happiness keeps You Sweet..But being sweet brings happiness.

Do Share it with all the Good People In ur Life.

વોટ્સએપ વપરાતા મિત્રો

*વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે...*

1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી...  આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું...  મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી...

2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ...   આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં...  તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે !

3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે....

4 - બીભત્સ ફોટો, વિડિઓ કે  સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં...  કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે.....

5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમે પણ રાખો પણ બીજાની જ્ઞાતિને હલકી ચીતરતી પોસ્ટ ક્યારેય શેઅર કરશો નહી...

6 - સાવ નવરી બજારની જેમ વોટ્સએપ પર મથ્યા કરશો નહીં...  તમારા પોસ્ટિંગ થી વિનાકારણ મિત્રોને નોટિફિકેશન મળે છે... એમની રસ, રુચિ, માનસિક વિકાસ અને પસંદગી અલગ હોય શકે છે ...    જરૂરી નથી કે તમે જે પોસ્ટ કરો છો એ એમને ગમે જ માટે લોકોની મનમાં ગાળો ખાવાનો શોખ પાળશો નહીં ...

7 - હમણાં જ આ મેસેજ 11- કે 21- જણને મોકલો અને ચમત્કાર જુઓ, અથવા પોસ્ટ ડીલીટ કરશો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે... આવા વાહિયાત અને અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરશો નહીં...  યાદ રાખો સંસાર કર્મને આધીન છે...  જેવું કર્મ કરશો તેવું ફળ મળશે..   મેસેજ ફોરવર્ડ કરવાથી બાબાજી નો ઠુંલ્લું મળે છે....

8 - વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ ના ફોટો શૅર કરીને તમે તમારો અને તમારા મિત્રોના મોબાઈલ ડેટા પ્લાન ઓછા કરી રહ્યા છો...   ફોટા મોકલવા કરતા શબ્દોમાં 'ગુડ મોર્નિંગ' લખો વિડિઓ કે જીઆઇએફ ફાઈલ પણ ઝડપી ડેટા વપરાવી નાખવાનું મોબાઈલ કંપનીનું કાવતરું જ છે...

9 - અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, અમુક છોકરા ખોવાયા છે... અમુક ટ્રક ગૌ-માંસ લઈને નીકળી છે... અમુક જગ્યાએ એક્સીડેન્ટ થયો છે...  અમુક સંસ્થા બહુ સારું સેવા કાર્ય કરે છે....  કોઈ ગરીબની મદદ થશે ! આવા મેસેજ સાવ બોગસ અને ફાલતુ હોય છે, અથવા વર્ષો જુના હોય છે...   માટે ગાંડાની જેમ ફટાફટ ફોરવર્ડ કરશો નહી, તમે જાતે આપેલી લિંક કે ફોન નંબર પર કોલ કરીને ખાતરી કરો પછી જ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરો.....

10- જે વિષય માટે ગ્રુપ બનાવવામાં આવ્યું હોય એને લગતા જ મેસેજ કરો...    ભળતા મેસેજો કરીને તમારી ઓછી અક્કલનું પ્રદર્શન કરશો નહીં ...

11 - ગ્રુપ એડમીનએ કઈંક વિચારીને તમને એ ગ્રુપ માં એડ કર્યા હોય છે...  એમને તકલીફ થાય અથવા બીજા મેમ્બર્સ ને ખરાબ લાગે એવી વાત, વિચાર કે વસ્તુ ક્યારેય ગ્રુપમાં પોસ્ટ કરશો નહીં.......

12 - ભારતમાં ઈન્ટરનેટ લો કાર્યરત છે.... સરકાર, સમાજ, સંસ્થા, કે મહાપુરુષોની ટીકા કરતી પોસ્ટ પર સરકાર કે પોલીસ એક્શન લઇ શકે છે...   તમારી બેવકૂફીને કારણે એડમીનને પણ સજા થઇ શકે છે, એટલું ધ્યાનમાં રાખો ....

13 - અવિચારી વાતો, સુવિચારો અને અણઘડ ધાર્મિક ફિલોસોફી ને લગતા ફોટો પોસ્ટ કરશો નહીં...  તમે ગમે એટલા હોશિયાર દેખાવાનો દંભ કરો, સામે વાળા તમારા કરતા વધુ હોશિયાર જ હોય છે...   અને તમારી માનસિકતા સમજી જાય છે, લોકોની નજર માં થી ઉતારી જવાની કુચેષ્ટા કરશો નહીં...

14- ગીત, ગઝલ, કવિતા કે સાહિત્ય સર્જકના નામ સાથે જ શેઅર કરો, રચયિતાને ક્રેડિટ આપવી એ આપણી ફરજ છે....

15- સુવિચારો બીજાને સારું લગાડવા જ હોય છે એવું નથી, તમારા જીવનમાં જે સુવિચાર નું આચરણ કરતા હો એવા સુવિચારો જ પોસ્ટ કરો, યાદ રાખો દુનિયા ઊંધા ચશ્મા પહેરીને નથી બેઠી, એ બધું જોતી સમજતી હોય છે.....

16- વોટ્સએપ થી કોઈનું ઘર નથી ચાલતું કામધંધા ને પ્રાધાન્ય આપો, વોટ્સએપ માટે એક ટાઈમટેબલ બનાવો, 24-કલાકમાં થી 30- મિનિટ થી વધુ વોટ્સએપ વાપરતા લોકો માનસિક બીમાર અને બેકાર હોવાની છાપ પડે છે, તમારી ઇમેજ તમારે ક્રિએટ કરવાની છે.....

17- ગમતા મેસેજો પર યોગ્ય પ્રતિભાવ આપો, પણ તમારી મર્યાદા કે વિવેક જાળવીને....

18- બધા મુકાભાઈ નું જીઓ નથી વાપરતા માટે જિવો અને જીવવા દો ! બસ આટલી તકેદારી રાખીને વૉટ્સઍપ નો ઉપીયોગ કરો...

જનહિતમાં જારી !

અતિતની અટારીએથી

અતિતની અટારીએથી  !!
-------------------------------

દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !

રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું, 
ગોળનું ઢેફું ખાવા માટે !

કબુતરોને  ચણ,
           કીડીઓને લોટ !

શનિવારે હનુમાનને સરસવનું તેલ, 
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!

બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો'તો !!

આજ..

સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !

મને આજે પણ યાદ છે..

મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા...
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !

ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !

સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !

ઘરના માથે સૂતા'તા અને વાતો અલકમલકની કરતા'તા !

ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !

દરવાજા ઘરના ખુલ્લા રહેતા'તા,
રસ્તે જનારા પણ આવી બેસતા'તા !

કાગડા છત પર બોલતા'તા,
મહેમાન પણ આવતા જાતા,તા !

એક સાયકલ જ ખાલી પાસે હતી , 
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !

સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !

પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !

મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !

હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!

જીવન નીકળતું જાય છે.

*જીવન નીકળતું જાય છે..*

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
    *.....જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં..
પેન્ડીંગ પડેલ કામોમાં..
તારાં મારાંની હોડમાં..
રૂપીયા કમાવવાની દોડમાં..
સાચું-ખોટું કરવામાં..
ટીફીન ભરેલ રહી જાય છે..
*.....જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે..
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે..
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે..
   *.....જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં..
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે.. ?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે....
*.....જીવન નીકળતું જાય છે.*

*ચાલો..*
*સૌ દિલથી જીવી લઈએ..*

*જીવનનીકળતું જાય છે*.

આપણે ક્યાંક મોટા થઇ ગયા...

*આપણે મોટા થઇ ગયા*

"ધ્યાન દોરવા જોરથી રોવું" અને "ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"કટ્ટી" અને "બ્લોક્ડ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"૧ રૂપિયાની ૭ પાણીપુરી" અને "૭ રૂપિયાની ૧ પાણીપુરી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મેદાન પર આવીજા" અને "ઓનલાઈન આવીજા" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હોટલમાં ખાવા ઝંખવું" અને "ઘરનું ખાવા ઝંખવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ખાધુ પીધુ ને રાજ કર્યુ" અને "દુનિયાદારી સ્વીકારવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"બહેનની પારલે ચોકલેટ ચોરવી" અને "બહેન માટે સિલ્ક લાવવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે" અને "snooze બટન દબાવવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"તૂટેલી પેન્સિલ" અને "તૂટેલા દિલ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"જીંદગીભરના દોસ્ત" અને "કાંઇજ કાયમી નથી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હું મોટો થવા માંગુ છું" અને "હું ફરીથી બાળક બનવા માંગુ છું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ચાલો મળીને પ્લાન કરીએ" અને "ચાલો પ્લાન કરીને મળીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"મા બાપ આપણી ઇચ્છા પુરી કરે" અને "આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા... 🙋‍♂🙏

ભગવાનની લીલા..

ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.

કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.

પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..