*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*એક કારીગરને મંદિરમાં થોડું*
*બાંધકામ કરવાનું કામ મળ્યું.*
*ભગવાનના મંદિરમાં કામ*
*કરવાની તક મળી હતી આથી એ*
*ખુબ આનંદમાં હતો. એમણે ખુબ જ પુરી*
*નિષ્ઠા સાથે પોતાનું કામ પુરુ*
*કર્યુ.*
*એક દિવસ પોતાના કામનું*
*મહેનતાણું લેવા માટે એ મંદીરમાં*
*આવ્યો.* *પૂજારીજીએ એ*
*કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ.*
*પીવા માટે પાણી અને બેસવા*
*માટે આસન આપ્યુ. પૂજારીજી*
*અંદરના ઓરડામાં ગયા અને*
*હાથમાં એક બંધ કવર લઇને આવ્યા.*
*કવર કારીગરના હાથમાં મુકતા*
*કહ્યુ , ” ભાઇ , આ તારા*
*મહેનતાણાના 10800 રૂપિયા છે.*
*આપણે અગાઉ નક્કી કર્યુ હતુ તે મુજબનું*
*જ મહેનતાણું છે”. કારીગરે કવર લઇને*
*ખીસ્સામાં મુક્યુ અને*
*પૂજારીજીનો આભાર માન્યો.*
*પૂજારીજીએ કારીગરને કહ્યુ , ” અરે*
*ભાઇ, જરા પૈસા ગણી લે. બરાબર*
*છે કે કેમ એ તપાસી લે. ” કારીગર*
*તો ખડખડાટ હસી પડ્યો. પછી*
*બોલ્યો , ” અરે પુજારીજી, મને*
*આપના પર પુરો વિશ્વાસ છે.* *આપ*
*આ મંદીરમાં વર્ષોથી પૂજા કરો*
*છો. જો હું પૈસા ગણવા બેસુ તો તે*
*આપનું અપમાન કહેવાય. આપના*
*જેવા સાધુપુરુષમાં મને પૂર્ણ શ્રધ્ધા*
*છે.” આટલુ કહીને કારીગર*
*પૂજારીજીને વંદન કરીને જતો*
*રહ્યો.*
*કારીગરના ગયા પછી*
*પૂજારીજી પોતાના હાથમાં*
*રહેલી માળા સામે જોઇ રહ્યા*
*અને પોતાની જાત પર જ હસવા*
*લાગ્યા. પેલા સાવ સામાન્ય*
*અને અભણ કારીગરને મારા જેવા*
*માણસમાં વિશ્વાસ છે અને મારા*
*જેવા કહેવાતા પંડીતને*
*પરમાત્મામાં વિશ્વાસ નથી*
*આથી જ મે કેટલા મંત્રજાપ કર્યા*
*તેની ગણતરી રાખું છું.*
*પૂજારીજીએ પોતાના હાથમાં*
*રહેલી માળા ભગવાનના*
*ચરણોમાં મુકીને નક્કી કર્યુ કે હું*
*તારા માટે જે કંઇ કરીશ તેનો*
*હીસાબ રાખવાનું આજથી બંધ*
*કરીશ.*
*મિત્રો , આપણે પણ અજાણતા આવુ*
*જ કંઇક કરીએ છીએ. કેટલા ઉપવાસ*
*કર્યા ? કેટલા મંત્રજાપ કર્યા?*
*કેટલી માળાઓ કરી ? કેટલી*
*પ્રદક્ષિણાઓ કરી ? ક્યાં ક્યાં*
*કોને કોને કેટલું દાન આપ્યુ ? આ*
*બધાનો હીસાબ રાખતા હોઇ*
*તો એનો મતલબ એ થયો કે મને*
*મારા પ્રભુમાં વિશ્વાસ નથી.*
*કરેલી ભક્તિનો હીસાબ રાખીને*
*શું આપણે આપણા પ્રભુનું અપમાન તો*
*નથી કરતાને ?*