શું તમે એમને ખરેખર ચાહો છો ?

જયારે બહુ નાનાં બાળકોને, માતાપિતા બધું જ શ્રેષ્ઠતમ આપવા મેદાનમાં ઉતારે છે ત્યારે તેઓ ભવિષ્યનો એક એવો માણસ તૈયાર કરે છે જે ભૌતિકવાદી બને છે. આવું બાળક મોટું થઈને ડરપોક,નબળું અને કાયર પૂરવાર થાય છે.

હવે સ્વબચાવ કરવા ન બેસશો. મારી પાસે પૂરતા પુરાવાઓ છે.

હું એક સલાહકાર છું અને મારા એ સ્થાન પર બેસીને હું લગભગ રોજ એક નવી મુશ્કેલી જન્મેલી જોઉં છું. જેને મેં નામ આપ્યું છે- ‘માતાપિતાએ શીખવેલો બગાડ’
થોડા ઉદાહરણો ટાંકુ છું-

* ૨૬ વર્ષીય માનસને પોતાની ઇજનેરની ડિગ્રી મેળવવામાં કોઈ રસ નથી રહ્યો…કારણ માત્ર એટલું જ કે તેને નથી લાગતું કે તેણે ભણવું જોઈએ.
હા, પણ તે માબાપને પૈસા આપવા માટે સતત દબાણ કરતો રહે છે.

તેણે મને કહ્યું કે જયારે તેને કોઈ કામ નથી ગમતું ત્યારે તેના માતાપિતા તેને એ કામ છોડી દેવા કહે છે.
માતાપિતાએ હંમેશ એમ જ કહ્યું છે કે તેના ઉછેર દરમિયાન તેને ક્યાંય “ભારણ” ન લાગવું જોઈએ.

૩૪ વર્ષનો રાઘવ કે જે વ્યવસાયિક રીતે એન્જીનીયર છે અને બે વર્ષથી પરણેલો પણ છે, તેને તેની પત્ની છોડી જવા માંગે છે. માટે રાઘવ હવે મારી મદદ લેવા આવ્યો છે.
રાઘવ સારું ભણેલો છે, બરાબર છે, પણ તે કોઈ નોકરી સ્થિરતાથી કરી નથી શકતો, કારણ તેને સતત તણાવનો અહેસાસ થાય છે.

દર બે મહિને તે દોડતો માતાપિતા પાસે તેમના ઘરે પહોંચી જાય છે અને ઈચ્છે છે કે જયારે તે બાળક હતો અને સ્કૂલે ન જવા કહેતો ત્યારે તેના પ્રશ્નો માતાપિતા હલ કરતાં..બસ બરાબર એજ રીતે હજુ પણ તેઓ જ બધા હલ લાવે.

૨૮ વર્ષની અંજલિ એક વર્ષથી પરણેલી છે. પણ તે પતિ જોડે રહેવા નથી માંગતી. કેમકે ઓફિસમાં ખૂબ કામ કામ રહે છે અને ઘરનું કામ પણ તેને કરવું પડે છે.
તે ઈચ્છે કે તેની માતા તેની સાથે રહે અને ઘરનું બધું કામ માતા કરી આપે !

આવા તો ઘણા કિસ્સાઓ છે.

આ બધાનું મૂળ માતાપિતા દ્વારા બાળપણમાં લેવાતી અતિ પડતી કાળજી અને શ્રેષ્ઠતમ સગવડો આપવાનો આગ્રહ છે.
બરાબર છે કે તમે તમારાં બાળકોને બહુ ચાહો છો, પણ જયારે તમે તેમને જીવનની સાહજિક વિષમતાઓથી બચાવ્યા કરશો ત્યારે તમે તેમને એક શૂન્યાવકાશમાં ઉછેરશો.

પરિણામે જયારે તેઓ વાસ્તવિક જગતમાં ઊભાં રહેશે ત્યારે તેમની લડવાની શક્તિ હણાઈ ગઈ હશે અને તેમને ગૂંગળામણ થતાં તેઓ તે દરેક વસ્તુ કે પરિસ્થિતિને છોડીને ભાગશે જેમાં તેમને તકલીફ લાગે છે.

તેમણે આ જ દુનિયામાં, તમારાથી અલગ રહેતાં શીખવાનું છે.

શું તમે એમને ખરેખર ચાહો છો ?

કે તમે તમારી જાતને વધુ ચાહો છો ?

જો ખરેખર તમે તમારાં બાળકોને ચાહતા હોવ તો એમને ભવિષ્ય માટે તૈયાર કરો-ભલે તેઓ લડતાં,પડતાં અને શીખતાં. તમે બાળકોને સાથ,સહકાર અને ટેકો અવશ્ય પૂરો પાડજો પણ તેમને જાતે જ કામ, ભણતર અને વિષમતાઓ સામે તૈયાર થવા દેજો.

કહી દો બાળકોને કે અમુકથી વધુ પૈસા તો નહીં જ ખરચવામાં આવે અને તેમણે કરેલી માંગ કે જીદ સામે “ના” સાંભળવાની ટેવ પાડો.

આ જ ખરેખર તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી છે.

ડો.સપના શર્મા : સાયકોથેરાપીસ્ટ, સ્પિરિચુઅલ કાઉન્સેલર.

(અનુવાદ : રૂપલ વસાવડા)

આ લેખ પર તમારા મંતવ્યો આવકાર્ય !!

લાગણીઓના નામે

*લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , ,*
*હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .*

*જોયા અગણિત સંબંધો દુનિયામાં , , ,*
*દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . .*

*શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , ,*
*પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . .*

*ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,*
*આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . .*

*જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , ,*
*લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . . !!!*

WHAT A LIFE WE LIVE

1. No matter how beautiful and  handsome you are,
just remember Baboon   and Gorillas also  attract tourists .

Stop Boasting.

2. No matter how big and strong you are,
you will not carry  yourself to your Grave.

Be Humble

3. No matter how tall you are, you   can never see tomorrow.

Be Patient

4. No matter how Light Skinned you are, you will always need light in Darkness.

Take Caution

5. No matter how Rich and many Cars   you have, you will   always Walk to Bed.

Be Contented Take Life Easy .
Life is short

WHAT A LIFE WE LIVE..
     
If u think it is your alarm clock that woke you up this morning, try putting it beside a dead body and you will realise that it is the Grace of God that woke you up.

ઘર મને એવું ગમે

આંગણું દે આવકારો,
ઘર મને એવું ગમે,
બારણાં બોલેઃ ‘પધારો’,
ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો,
ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો,
ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલાં
લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો,
ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે,
ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો,
ઘર મને એવું ગમે.

જ્યાં લાગે અજાણ્યાનેય પણ
પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો,
ઘર મને એવું ગમે.

થાકનો ભારો ઉતારે,
કોઈ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો,
ઘર મને એવું ગમે.

મંદીરો જેવું પરમ સુખ,
સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો સીતારો,
ઘર મને એવું ગમે..

वहा से ईश्वर की सत्ता शुरू होती है।

भगवान का अस्तित्व और विज्ञान

एक बार एक ट्रेन जो दिल्ली से कानपुर जा रही थी.
उस ट्रेन के फर्स्ट क्लास AC में दो लोग, एक नवयुवक और एक बुजुर्ग यात्रा कर रहे थे।

नवयुवक की नज़र बहुत देर से सामने बैठे बुजुर्ग पर थी जो लगातार गीता पढ़ रहे थे और मंद मंद मुस्कुरा रहे थे।

अचानक नवयुवक ने उनको चुनौती दी की भगवान तो होते नहीं हैं तो फिर आप ये सब झूठ कब तक मानते रहेंगे, जो है वो सब विज्ञान है।

वो बुजुर्ग बहुत देर तक उस नवयुवक के भगवान के अस्तित्व और विज्ञान के चमत्कारों के सभी तर्कों को ध्यान से सुनते रहे।

उस नवयुवक ने उनको बताया कि वो एक खगोल
वैज्ञानिक है और वो सारे ग्रह के बारे में जानता है, कोई सूर्य चन्द्र भगवान नहीं है.

और उसके इसी प्रयोगों से प्रभावित हो कर सरकार उसको एक पुरस्कार भी दे रही है।

फिर करीब दो घंटे बाद जब वो नवयुवक को लगा
कि वो बुजुर्ग उसकी बातो से प्रभावित नहीं हो रहे हैं तो उसने ये कह के बात ख़तम की जब बीमार होंगे तो विज्ञान ही काम आयेगा भगवान नहीं.

और इतना कह कर वो सो गया और बुजुर्ग वापस गीता पढ़ने में मग्न हो गए.

सुबह बुजुर्ग ने उस नवयुवक को जगाया और बताया कि आपको लेने के लिए लोग आये हैं कृपया तैयार हो जाये वो बाहर इंतज़ार कर रहे हैं।

इतना कहकर उन्होंने मुस्कुरा के विदा ली।

IIT कानपुर में जब पुरुस्कार वितरण कार्यक्रम शुरू हुआ तो इस नवयुवक वैज्ञानिक की खूब तारीफ हुई और उसको पुरुस्कृत करने के लिए देश से सबसे वरिष्ठ वैज्ञानिक को मंच पर बुलाया गया.

जब वो वरिष्ठ वैज्ञानिक मंच पर आये तो उस नवयुवक की आंखे फटी की फटी रह गयी।

अरे ये तो वही बुजुर्ग है जो कल उसके साथ यात्रा कर आ रहे थे, और वो गीता की तारीफ कर रहे थे।

वो नवयुवक तुरंत उनके पैरो में गिर पड़ा और अपने लिए माफी मांगने लगा, और पूछा कि सर अब आप बताइए आपने कल मेरा विरोध क्यों नहीं
किया।

बुजुर्ग ने कहा , बेटा मैं भी ठीक ऐसा ही था, पर धीरे धीरे प्रयोग करते करते मुझे अहसास हुआ कि ऐसे
कुछ प्रश्न है जिनका उत्तर कभी विज्ञान नहीं खोज सकता और वो एक अदृश्य शक्ति द्वारा संचालित है।

तभी से मुझे समझ में आया कि जब सारी विज्ञान ख़त्म होती है वहा से ईश्वर की सत्ता शुरू होती है।
Happy Dipawali
💐🎉🌹💥🎉🌹

*What is spiritual maturity?

*What is spiritual maturity?*
1. Spiritual Maturity is when you *stop trying to change others, ...instead focus on changing yourself.*

2. Spiritual Maturity is when you *accept people as they are.*

3. Spiritual Maturity is when you *understand everyone is right in their own perspective.*

4. Spiritual Maturity is when you *learn to "let go".*

5. Spiritual Maturity is when you are able to *drop "expectations" from a relationship and give for the sake of giving.*

6. Spiritual Maturity is when you *understand whatever you do, you do for your own peace.*

7. Spiritual Maturity is when you *stop proving to the world, how intelligent you are.*

8. Spiritual Maturity is when you *don't seek approval from others.*

9. Spiritual Maturity is when you *stop comparing with others.*

10. Spiritual Maturity is when you *are at peace with yourself.*

11. Spiritual Maturity is when you *are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.*

& last but most meaningful !

12. You gain Spiritual Maturity when you *stop attaching "happiness" to material things !!*

"Wishing all a happy Spiritually matured life.

ધક્કો વાગે ત્યારે શું છલકાશે?

આપણા હાથમાં ગરમ કૉફીનો છલોછલ ફીણમઢેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા જ હોઈએ ત્યાં પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો
હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ કૉફી ઢોળાઈ જાય.

બરાબર આવું જ થાય. શા માટે કૉફી ઢોળાય?

અરે, તમે જવાબ આપશો કે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને!

ના, આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથમાંના કપમાંથી કૉફી ઢોળાય, કારણ કે કપ કૉફીથી ભરેલો હતો. જો કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત!

જે કપની અંદર હોય એ છલકાઈને બહાર આવી જાય... ઢોળાઈ જાય. પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની અંદર હોય  એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ. જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે. જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે કપ હોઈએ- ધક્કો વાગે તો બહાર શું છલકાય?

જિંદગીનો ધક્કો વાગે ત્યારે શું છલકાશે? શું ઢોળાશે?

આનંદ, આભાર, શાંતિ, માનવતા, વિનમ્રતા? કે પછી ગુસ્સો, કડવાશ, ખરાબ શબ્દો કે પછી ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

દીકરી ભણાવો

ચૌબેજીનો છોકરો છે અશોક, એમએસસી પાસ. નોકરી માટે ચૌબેજી નિશ્ચિંન્ત હતા, ક્યાંકને ક્યાંક તો મેળ થઇ જ જશે. લગ્ન કરી દેવા જોઈએ. મિશ્રાજીની છોકરી છે મમતા, એ પણ એમએ ફર્સ્ટ ક્લાસ પાસ છે, મિશ્રાજી પણ તેના લગ્ન જલ્દી કરી દેવા માંગે છે.

સમજદાર લોકો પાસેથી પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ જાણવામાં આવ્યો.
ખબર પડી કે આમ તો પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાનો ભાવ ૫ થી ૬ લાખ ચાલે છે પણ, બેકાર બેઠેલા પોસ્ટ ગ્રેજ્યુએટનો ભાવ ૩ થી ૪ લાખ છે.

સમજદાર લોકોએ સોદો સાડા ત્રણ લાખમાં નક્કી કરાવી દીધો.
વાત નક્કી થયે હજુ એક મહિનો પણ ન્હોતો થયો, અને પબ્લિક સર્વિસ કમિશનથી પત્ર આવ્યોકે અશોકની ડેપ્યુટી કલેક્ટરના પદ પર વર્ણી થઇ ગઈ છે.

ચૌબે – સાલા, નીચ, કમીના….હરામજાદા છે કમિશન વાળા…!
પત્ની – છોકરાની આટલી સરસ નોકરી લાગી છે નારાજ કેમ થાઓ છો?

ચૌબે – અરે સરકાર નકામી છે, હું તો કહું છું કે આ દેશ માં ક્રાંતિ થઇને રહેશે….આ જ પત્ર થોડા સમય પહેલાં ન્હોતાં મોકલી શકતા, ડેપ્યુટી કલેક્ટરના ૪૦ – ૫૦ લાખ તો એમજ મળી ગયા હોત.

પત્ની -તમારી અક્કલ મરી ગઈ હતી, હું ન્હોતી કહેતી કે એક મહિનો રોકાઈ જાઓ, પણ તમે ન માન્યા…જલ્દીમાં સંબંધ નક્કી કરી નાખ્યો…હું તો કહું છું કે મિશ્રાજીને પત્ર લખો તેઓ સમજદાર વ્યક્તિ છે.

પ્રિય મિશ્રા જી,
अत्रं कुशलं तत्रास्तु !

તમને પ્રસન્નતા થશે કે અશોકની પસંદગી ડેપ્યુટી કલેક્ટર તરીકે થઇ ગઈ છે. વિવાહના મંગળ અવસર પર આ મંગળ થયું. આમાં તમારી સુયોગ્ય પુત્રીના ભાગ્યનું પણ યોગદાન છે.
તમે સ્વયં સમજદાર છો, નીતિ અને મર્યાદા જાણો છો. ધર્મ પર જ આ ધરતી ટકેલી છે. માણસનું શુ છે, જીવે મરે છે. રૂપિયોતો હાથ નો મેલ છે, મનુષ્યની પ્રતિષ્ઠા મોટી વસ્તુ છે.માણસે ફરજ નિભાવવી જોઈએ, ધર્મ ન છોડવો જોઈએ. અને પછી અમને તો કઈ જોઈતું નથી, તમે જે કંઈ આપશો તમારી દીકરીને જ આપશો. વર્તમાન પદના હિસાબ મુજબ જોઈ લજો નહિ તો પછી અમારે કોઈ બીજો બંધ બેસતો સંબંધ શોધવો પડશે.

મિશ્રા પરિવારે આ પત્ર વાંચ્યો, વિચાર કર્યો અને પછી લખ્યું-
તમારો પત્ર મળ્યો, હું સ્વયં તમને લખવાનો હતો. અશોકની સફળતા પર અમે બધા ખુબ ખુશ છીએ. અશોક હવે ડેપ્યુટી કલેક્ટર થઇ ગયો છે. અશોક ચારિત્રવાન, મહેનતુ અને સુયોગ્ય છોકરો છે. તે ચોક્કસ પ્રગતિ કરશે. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે મમતાની પસંદગી આઈએએસ માટે થઇ ગઈ છે. કલેક્ટર બનીને તેની ઈચ્છા છે કે તે પોતાની નીચે કામ કરતા અધિકારી સાથે લગ્ન નહિ કરે.

મને આ સંબંધ તોડીને અપાર હર્ષ થઇ રહ્યો છે.

“દીકરી ભણાવો, ”
એક રોટલી ઓછી ખાઓ,
પણ, દીકરી જરૂર ભણાવો...

હજુ એ શબ્દો મને યાદ આવે છે

અમારો...બાજુ નો ફ્લેટ NRI એ વર્ષો થી લીધેલ છે...
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા....

તેમના બાળકો USA સેટ થઈ  ગયા હીવાથી. હવે ની
બાકી રહેલ જીંદગી... ઇન્ડિયા મા કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ...

મેં પહણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કોઈ કામ કાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવ ના..હતા..
કોઈ..કોઈ વખત રાત્રે બેશવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમ ની  સંસ્ક્રુતિ વિશે વાતો કરે...

છ મહિના પુરા થયા હશે...એક દિવશ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેશવા આવ્યા....

છ મહિના પહેલા ની વાતો અને આજ ની તેમની વાતો મા તફાવત દેખાતો હતો....

બેટા... હવે.. અમે ગમે ત્યરે પાછા USA દીકરા પાસે જવા ની તૈયારી કર્યે છીયે...

મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....?
તમે તો કેહતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીં ના લોકો માયાળુ..છે..
સગા.. સંબંધી... બધા અહીંયા..છે
દીકરી પહણ ગામ મા.. છે..
મારા જેવો પાડોશી છે...તો કહી વાતે તમને તકલીફ પડી...

બેટા.. આ વીતેલા છ મહિના મા... મને બધો અનુભવ
થઇ ગયો....મને એમ હતું...અહીં આવી એક બીજા ને મળશું...
સુખ દુઃખ ની વાતો કરશું...

કોઈ ને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર  મળ્યો...
બીજી વખત જાયે...
એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે થી થોડી વાત કરી લે...આપણે મન મા બેઈજ્જતી થાય..કે આપણે અહીં ક્યાં આવ્યા....

ગામ દીકરી છે.તો અવાર નવાર આવશે..મળશે...તેવા ખ્યાલો મા હતા...પહણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે...
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યરે..વર્તન બદલાઇ ગયું હોય છે..

બધા પોત પોતાની જીંદગી મા મશગુલ છે..બેટા....
નકામા લાગણીશીલ થઈ ને દુઃખી થવા અહીં આવ્યા..
એવું લાગી રહુ  છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા...ધોળીયા સારા..બાહ્ય આડંબર તો જરા પહણ નથી...

અરે શુ વાત કરું બેટા... થોડા દિવશ પેહલા....હું ગ્રીન સિગ્નલ થયા પછી...જિબ્રા..રોડ ક્રોસ કરતો હતો... તો પહણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ.. પાછો... બારી માથી યુવાન લાગતો છોકરો બોલ્યો..

"એ..એ...ડોહા..જોતો નથી...મરવા નીકળ્યો છે....."

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો...આ મારી કલ્પના નો ભારત દેશ...જ્યાં યુવા પેઢી ને બોલવા ની પહણ ભાન નથી...નાના મોટા નું જ્ઞાન નથી....ટ્રાફિક સેન્સ તું નામ જ નહીં....હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો....

ત્યાં ઘરડા કે બાળક ને જોઈ ગમેતે સ્પીડ થી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પેહલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો તો જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોત તો હતો...

ત્યાં એક મીઠો આવાજ આવ્યો...
અંકલ .." મેં  આઈ હેલ્પ  યુ ?"

બેટા.. સોગંદ થી કહવ છું...
મને બે મિનિટ તો
રણ મા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિના થી આવ્યો છું....બેટા
may i help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષ નું બાળક હતું....અંકલ આ તમારા ચશ્મા....
મેં માથે હાથ ફેરવી thank you કીધું....
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં
ક્રિસમશ વેકેશન મા આવ્યો...છું.

એટલે ઇન્ડિયા મા નથી રેહતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી..બોલ્યા નમસ્તે અંકલ...
એકબીજા એ વાતો...કરી...છેલ્લે ઘર સુધી પહણ મૂકી ગયા...

બેટા હું વિચારતો હતો...નાહક ના પશ્ચિમ ની સંસ્ક્રુતિ ને આપણે વખોડયે છીયે....ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓ ની સારી છે...

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીયે..
ખરેખર જે શીખવાનું છે.તે શીખતાં નથી...
ધોબી ના કૂતરા જેવી દશા થઈ છે...

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરે આધુનિક નથી થવાતું...
આજના યુવાનો ને કેમ સમજાવું.. કે વાણી ,વર્તન, એતો દેશની પ્રગતિ નો પાયો છે...
જ્યાં વાણી વર્તન ના ઠેકાણા નથી ત્યાં દેશ નો ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હશવું પહણ આવે છે..અને દુઃખ પહણ થાય છે...

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી.."

मैं ना होता तो क्या होता...?*

*मैं ना होता तो क्या होता...?*

*हनुमानजी ने प्रभु श्रीराम से कहा कि मैंने लंका जाकर विभीषण का घर नहीं देखा था, तब तक मुझे लगता था कि लंका में भला संत कहां मिलेंगे ? प्रभू, मैं तो समझता था कि संत सिर्फ भारत में ही होते हैं, लेकिन जब मैं लंका में सीताजी को नही ढूंढ सका और जब विभीषण ने उपाय बताया तो मैंने सोचा कि जिन्हें मैं प्रयत्न करके नहीं ढूंढ सका, उनका पता तो इन लंका वाले संत ने ही बता दिया, शायद प्रभु ने यही दिखाने के लिए भेजा था कि इस दृश्य को भी देख लो !*

*अशोक वाटिका में जिस समय रावण क्रोध में भरकर तलवार लेकर माँ को मारने के लिए दौड़ा, तब मुझे लगा कि इसकी तलवार छीन कर इसका सिर काट लेना चाहिये, किन्तु अगले ही क्षण मैंने देखा कि मंदोदरी ने रावण का हाथ पकड़ लिया, यह देखकर मैं गदगद् हो गया ! ओह प्रभू आपने कैसी शिक्षा दी, यदि मैं कूद पड़ता तो मुझे भ्रम हो जाता कि यदि मैं न होता तो क्या होता ?*

*बहुधा व्यक्ति को ऐसा ही भ्रम हो जाता है, मुझे भी लगता कि यदि मैं न होता तो सीताजी को कौन बचाता ? पर आपने उन्हें बचाया ही नही, बल्कि बचाने का काम रावण की पत्नी को ही सौंप दिया, जिसको इस बात की प्रसन्नता होनी चाहिए कि सीता मरे तो मेरा भय दूर हो, तब मैं समझ गया कि आप जिससे जो कार्य लेना चाहते हैं, वह उसी से लेते हैं, किसी का कोई महत्व नहीं है !*

*आगे चलकर जब त्रिजटा ने कहा कि लंका में बंदर आया हुआ है और वह लंका जलायेगा तो मैं बड़ी चिंता में पड़ गया कि प्रभु ने तो लंका जलाने के लिए कहा ही नहीं है और त्रिजटा कह रही है तो मैं क्या करुं ? पर जब रावण के सैनिक तलवार लेकर मुझे मारने के लिये दौड़े तो मैंने अपने को बचाने की तनिक भी चेष्टा नहीं की, और जब विभीषण ने आकर कहा कि दूत को मारना अनीति है, तो मैं समझ गया कि मुझे बचाने के लिये प्रभु ने यह उपाय कर दिया !*

*आश्चर्य की पराकाष्ठा तो तब हुई, जब रावण ने कहा कि बंदर को मारा नहीं जायेगा पर पूंछ मे कपड़ा लपेट कर घी डालकर आग लगाई जाये तो मैं गदगद् हो गया कि उस लंका वाली संत त्रिजटा की ही बात सच थी, वरना *लंका को जलाने के लिए मैं कहां से घी, तेल, कपड़ा लाता और कहां आग ढूंढता, पर वह प्रबन्ध भी आपने रावण से करा दिया, जब आप रावण से भी अपना काम करा लेते हैं तो मुझसे करा लेने में आश्चर्य की क्या बात है !*

*इसलिये याद रखें, कि संसार मे जो कुछ भी हो रहा है वह सब ईश्वरीय विधान है, हम और आप तो केवल निमित्त मात्र हैं, इसीलिये कभी भी ये भ्रम न पालें कि मैं न होता तो क्या होता...?*