ફૂંફાડો તો રાખજો જ !!!

એક સરસ દ્ષ્ટાન્ત છે.

એક ગામ હતુ એ ગામ નજીક આવેલ સીમ મા એક ભયંકર સાપ રહેતો હતો જે આવતા જતા લોકો ને દંશ દેતો હતો આથી ગામ ના બહુ માણસો ના મોત થયા હતા.

ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા સતત ભય મા જીવતા હતા ત્યારે એક વાર એ ગામ પર થઈ ને એક સાધુ મહારાજ યાત્રાધામે નિકળ્યા હતા ત્યારે ગામ લોકોએ સાપ વિશેની સઘળી હકીકત કહી અને આમા થી છૂટકારો મેળવવા માટે અરજી કરી ગામ લોકો પર દયા આવતા સંત મહાત્મા એ સાપ ને બોલાવ્યો અને આદેશ આપ્યો કે હવે આજ પછી તુ કોઇ પણ વ્યક્તિ ને દંષ નહિ મારે.

સાપે સંત નો આદેશ શિરોમાન્ય રાખ્યો હવે સંત તેમના આગળના રસ્તે ચાલતા થયા અને એકાદ મહીના પછી એ જ ગામ પર થઈ ને નિકળ્યા અને જોયુ તો સાપ અર્ધ મળેલી હાલત મા તરફડતો હતો.

સંતે સાપ ને પુછ્યુ કે તારી આવી હાલત કેવી રીતે થઈ ?

તો સાપ કહે બાપજી આપ ને હુ વચન આપી ચૂક્યો હતો કે હવે હુ કોઇ ને દંષ નહિ મારુ અને આ વાત ગામના લોકો પણ જાણતા હતા આથી ગામના લોકો નો ડર દૂર થઈ ગયો.

નાના નાના બાળકો મને રમકડાની જેમ રમવા લાગ્યા આવતા જતા લોકો પથ્થર મારવા લાગ્યા અને આથી મારી આ હાલત થઈ છે.

સંત અકળાઈ ગયા અને સાપ ને કહેવા લાગ્યા કે મૂર્ખ મે તને દંશ મારવા ની ના પાડી હતી પણ ફૂફાડો મારવાની નહી તારી તાકાત દુનીયા આખી ને ખબર હતી
તુ ફુંફાડો માર્યો હોત ને તો પણ તારી નજીક કોઈ ના ફરક્યુ હોત.

મિત્રો આપણી તાકાત છે....
આપણે કોઈ ને મારી ના નાખીયે પણ એક એવી ધાક તો રાખવી પડશે.

સુધારવાની વાત સાચી પણ સાવ માયકાંગલા બની ગયેલા ગરીબ સાપ ની જેમ
જો થઈ ગયા તો દુનિયા તમારો ફૂટબોલ બનાવી ને રમશે
એટલે આટલી વાત બહુ કહી જાય છે.

ફૂંફાડો તો રાખજો જ !!!