મોરારીબાપુએ કીધેલી વાત !



મોરારીબાપુએ કીધેલી વાત !

--બે ટાબરીયા નિશાળે મોડા પડતા શિક્ષકે કારણ પૂછતા એકે જણાવ્યું :
"મારાપપ્પાએ વાપરવા આપેલ સિક્કો પડી જતા તેને શોધવામાં રહ્યો 

અને અંતે સિક્કો ન મળતા નિશાળે  આવ્યો એટલે મોડું થયું "

બીજા ટાબરીયાએ કહ્યું :
"એનો સિક્કો મેં મારા પગ તળે દબાવ્યો 'તો..

એ નીકળે પછી હું નીકળું ને !"

--અંતે બાપુનું તારણ :
"આપણે પરમને પામવામાં બે રીતે મોડા પડીએ છીએ ;


એક --પૈસો શોધવામાં ..
અને
બીજું --કોઈનો પૈસો દબાવવામાં..
સમય વેડફી નાખીએ છીએ..