કોનું નામ લખું?

કરિયાવર માં આવેલા વાસણો પર નામ લખવા કંસારા ને બોલાવવા માં આવ્યો,
કંસારા એ વહુ ને પૂછ્યું કે કોનું નામ લખું?
તારું અને તારા પપ્પા નું?
કે
તારું અને તારા પતિ નું ?
વહુ એ કીધું કે ફક્ત મારુ એકલી નું નામ લખો...
કંસારા એ પૂછ્યું....કેમ?
વહુ એ જે જવાબ એ જવાબ આજના જમાના માં મળવો શક્ય નથી..
.
વહુ એ જવાબ આપ્યો કે
" આ વાસણ હું જ માટી થી ઉટકવાની છુ.
અને હું નથી ઇચ્છતી કે મારા બાપ પર કે મારા પતિ નાં નામ પર માટી ચઢે..
.
આવા ઉમદા વિચાર આજ ની પેઢી માં લાવવા નો ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ.