તાંબાના વાસણમાં પાણી પીવાના 10 ફાયદા..

તાંબાના વાસણમાં પાણી પીવાના 10 ફાયદા, જાણશો તો રોજ પીશો!

આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક લાભ મળે છે. આ પાણીથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની ક્ષમતા વિકસે છે.
તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસથી ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી લાભકારી હોય છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીથી સ્વાસ્થ્ય લાભ આ પ્રકારે છે.

-બેક્ટેરીયાને ખતમ કરે છે

કોપરની પ્રકૃતિને ઓલિગડાયનેમિકના રૂપમાં (બેક્ટેરીયા પર ધાતુઓના સ્ટરલાઈઝનો પ્રભાવ) ઓળખવામાં આવે છે. અને તેમાં રાખેલા પાણીના સેવનથી બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કિટાળુઓ મરી જાય છે. જો ખાસ ધ્યાન એ રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ

-થાયરોઈડ ગ્રંથિની કાર્યપ્રણાલિને નિયંત્રિત કરે છે

નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલિને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, બસ પાણી સ્વચ્છ હોવુ જોઈએ.

-સાંધાના વા અને સોજાને દુર કરે છે

સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રાહત રહે છે. તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દુર કરે છે.

-પાચનક્રિયાને ઠીક કરે છે

એસીડીટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે . આયુર્વેદ અસાર જો તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોય તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલા પાણીને પીઓ. તેનાથી સમસ્યાઓ દુર થશે.

-ત્વચાને સારી બનાવે છે

તાંબાના વાસણમાં રાખેલું પાણી ત્વચાને ચમકદાર બનાવે છે. ત્વચાને શાઈની બનાવવા માટે સવારમાં ઉઠીને તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીઓ અને સ્વસ્થ રહો.

-વજન ઘટાડવામાં મદદરૂપ

જો કોઈપણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરનો એકસ્ટ્રા ફેટ ઓછો થાય છે અને શરીરમાં કોઈ કમી કે કમજોરી આવતી નથી. શરીરમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આરામ પણ મળે છે.

-વધતી ઉંમરને ધીમી કરે

ઉંમર વધવાની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. હરકોઈ ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે. આ પ્રકારના પાણીથી મૃત ત્વચા પણ દુર થાય છે અને નવી ત્વચા આવે છે.

-લોહીની ઉણપને દુર કરે છે

કોપર શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બેહદ જરૂરી છે. તે શરીર માટે આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છએ. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દુર થાય છે.

-હૃદયને સ્વસ્થ બનાવે છે અને હાઈપરટેન્શન દુર કરે છે

જો કોઈ વ્યક્તિ હૃદય રોગથી પરેશાન હોય કે તેને હાર્ટની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે તાંબાના જગમાં રાતના પાણી રાખી અને સવારે ઉઠીને પી લે. તેનાથી તેના સ્વાસ્થ્યને ખુબ ફાયદો થઈ શકે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી શરીરમાં લોહીનો સંચાર વધારે સારી રીતે થઈ શકે છે.

-કેન્સર સામે લડવામાં સહાયક

કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખેલુ પાણી વાત, પિત્ત અ કફની સમસ્યાને દુર કરે છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ પણ રહેતુ હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમેરીકન કેન્સર સોસાયટી અનુસાર, કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખેલુ પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. જે એન્ટી કેન્સર ઈફેક્ટનું કામ કરે છે.