સંઘર્ષ વિના સફળતા નહીં !...


સંઘર્ષ વિના સફળતા નહીં !...

જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે,
પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું.

એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.
શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી.
માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે...