ઋણ ઉતારવા માટે..

વનવાસ દરમિયાંન માતા સીતા ને પાણી ની તરસ લાગે છે, ત્યારે ભગવાન રામ કુદરત ને કહે છે, કે
આસપાસ માં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો સુઝાડો ત્યારે એક મોર રામજી પાસે આવે છે અને કહે છે કે અહીં થી થોડેક દૂર એક જળાશય છે હું તમને ત્યાં સુધી લઈ જાઉં પણ ભુલા પડી જવાનો સંભવ રહે ખરો રામજી કહે છે કે કેમ?

 ત્યારે મોર કહે છે કે હું ઊંડી ને જાવ છું ને તમે મારી પાછળ ચાલતા આવો હું ઉડતા ઉડતા મારુ એક એક પીછું વેરતો જઈશ તમે એ પીંછા ના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો.

     આ વાત આપણે સહુ જાણીએ છીએ કે મોર તેના પીચ્છા ખરવા ની પણ એક ઋતુ હોય છે મોર જો તેની ઋતુ સિવાય પીચ્છા ખેરવે તો તેનું મૃત્યુ થાય છે  મૃત્યુ નીપજે છે અને મોર તેમના અંતિમ શ્વાસ લેતા લેતા રામજી ને એટલુંજ કહે છે કે જે આખા જગત ની તરસ છીપાવે  છે તેની તરસ છીપાવવા નું સદભાગ્ય ( સૌભાગ્ય ) મને આજે મળ્યું એના થી વિશેષ તો મારે શું જોઈએ ?

  ત્યારે ભગવાન શ્રી રામ  મોર ને કહે છે કે તે જે પીચ્છા વેરેલા તે પીચ્છા નું ઋણ હું આવતા જન્મ માં ચકવી ને મારા માથા ઉપર ચડાવીસ બાદ  ત્યાર પછીના બીજા જન્મ માં ભગવાન ક્રિષ્ન  અવતાર માં ભગવાને  મોર પિચ્છ માથા ઉપર ધારણ કરી મોર નું ઋણ ઉતાર્યું છે,

    જો ભગવાન ને ઋણ ઉતારવા માટે બીજો જન્મ લેવો પડતો હોય તો આપણે તો કેટલા જન્મ શુધી કોઈ ના ઋણી હસું ને ક્યારે કોના કોના ઋણ પુરા કરશું તેની ખબર નથી. 🙏🏻